સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - સ્મૃતિ's image
1 min read

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - સ્મૃતિ

Sursinhji Gohil KalapiSursinhji Gohil Kalapi
0 Bookmarks 981 Reads0 Likes

દિન એક ગયો, પછી લાખ ગયા,
શિરમાં પળિયાં પણ આવી ચૂક્યા !
ઉરનું જળવુંય શમી જ જશે,
પણ તે ચટકું ફરી ક્યાં મળશે ? ૧

દિનરાત સદાય જળ્યાં કરવું !
સહતાં સહતાં પણ કેમ સહુ ?
સહશું રડશું, જળશું, મરશું,
સહુ માલિકને રુચતું કરશુ ! ૨

કંઈ બાકી રહ્યું ? હરિ ! યાચી લઉં !
ન સુકાવ ભલે જલ નેત્ર તણું,
પણ તે દિલને વિસરાવીશ ના,
સ્મૃતિ તે રહી તો દુ:ખ લાખ ભલાં ! ૩

No posts

Comments

No posts

No posts

No posts

No posts