સગુણભક્તિ's image
2 min read

સગુણભક્તિ

Akha BhagatAkha Bhagat
0 Bookmarks 230 Reads0 Likes

સગુણભક્તિ મોતી ઘુઘરી, મનમોહન દીસે તે ખરી;
અંતરતાપ ક્ષુધા નવ શમે, સામા મનોરથપેરે દમે;
એ અખા સમજ દેહવેહવાર, જન્મમરણ ન ટળે સંસાર.

પડતું સુવર્ણ ને બીજું મન, તેનું ધોવું ધાવું નોય જતન;
જો મર્મ ખાર અગ્નિને મળે, તો થાય ચોખ્ખું મન પાછું વળે;
મનનીં કીધી સર્વ ઉપાધ્ય, મનાતીત અખા આરાધ્ય.

અણજાણ્યે જ્યાં ગુરુ કરી પડે, ભાત્ય પટોળેથી કેમ ખડે;
અવળા શબ્દ પેઠા કાનમાં, વાધ્યો રોગ નાવે માનમાં;
અખા આતમવિન અવળી વજા, ફરે કાજી પણ ન ફરે કજા.

બહુ વિધ છે શાસ્ત્રનું જાળ, ઉર્ણ નાભિ મૂકે નિજ લાળ;
જીવબુધ્યે કરી ગુંથ્યા ગ્રંથ, મમતે સહુ વધારે પંથ;
પણ જ્ઞાન તો છે આતમસુઝ, અખા અનુભવ હોય તો બુઝ.

મુક્તિ ભક્તિ બે વાંચ્છે ભ્રમ, પણ બેઉથી અળગો આતમધર્મ;
જીવ થઇ થાપે ભક્તિ ભગવંત, જીવ થઇ મુક્તિ મન માને જંત;
એ તો તેમનું તેમ છે અખા, દ્વૈતવિના નોહે પખપખા.

આત્મલક્ષમાં નહિ પર આપ, વણ સંતાને કેનો બાપ;
વણ જોનારે દર્પણ જથા, બિંબપ્રતિબિંબની કોણ કહે કથા;
અખા દ્વૈત થયે ઉપાધ્ય, તન મન વિના એ સાધન સાધ્ય.

 

No posts

Comments

No posts

No posts

No posts

No posts